પોસ્ટ્સ

                            શાહી નો સ્વાદ ન જાણે કેટલી એ શાહીઓ                                રંધાય છે પુસ્તકમાં. કેટલીક નો સ્વાદ મીઠો કેટલીક નો સ્વાદ કડવો ને કેટલીક નો સ્વાદ તો ખટાશ ભર્યો છે                              ન જાણે કેટલી..... કેટલીક દેખાવે મનમોહક છે  કેટલીક  આનંદ  દેનારી  છે  ને  કેટલીક તો નિ:સહાય લાગણી ને સમજાવે છે                                      ન જાણે કેટલી..... કેટલીક અરીસો બતાવે કેટલીક અરીસો હટાવે ને કેટલીક તો દુનિયાદારી  ને સમજાવે છે                                ન જાણે કેટલી..... કેટલીક અભિમાની છે કેટલીક સ્વાભિમાની છે ને કેટલીક તો નિર...
                    મજાની વાત દુનિયા તો સાવ  છે  ખોટી                 આ મજાની વાત છે સાચી. સાંભળવું નહીં બધે બધું ચાલવું નહીં ખોટા સાથે બેસવું નહીં મીઠા સાથે કેમકે.... કેવા વાળા ના કેવાનું  કેશે બધું ચડાવશે ખોટા  ઉંધા  કેડે કરશે મીઠા ખોટું બધું                દુનિયા તો સાવ છે..... ખોલવું નહીં હૈયું આખું રડવું નહીં  હૈયું  ભરી હસવું નહીં ખોલી મનડુ કેમકે.... તોડશે હૈયું સાંભળી બધું દેશે હંસી જોઈ આંસુડાં બળશે હૈયા અમથે અમથા                   દુનિયા તો સાવ છે..... રહેવું નહીં ભોળા બની  કેવાનું નહીં સાચું કોઈને  કરવો નહીં અન્યાય કોઈનો  કેમકે.... ભોળા ને તો ભોળવી દેશે  સાચા ને તો થાય છે સજા  થશે નહીં ન્યાય તમારો            દુનિયા તો સાવ છે.... દુનિયા તો સાવ જ ખોટી  આ મજાની વાત છે ખરી. 
           સોનેરી મધુર સવાર                તરો તાજગીની તરસ શમાય જ્યારે,                સૂરજ નો ચમકાર ફૂલોમાં પથરાય ત્યારે                                      સોનેરી મધુર સવાર પડે રે.               પવનની પંખુડી પાંપણને નમાવે જ્યારે,               પંખીની ચહેક  કાનને  લુભાવે  ત્યારે                                          સોનેરી મધુર સવાર પડે રે.                                   ગૃહિણી  કલબલ  કરે  જ્યારે,                 સાવરણીના સુસવાટા સંભળાય ત્યારે ...

નારી

જેને સૌ જાણે છે પણ પારખી નથી શક્યા, જેને પરમેશ્વરથીયે ઉપર મનાય છે, શું એ નારી છે? હાં, કારણ કે..... એ તારણહાર છે પણ ડુબાડી દેનારીય છે, એ પીડા સહે છે પણ અસહ્ય પીડા દેનારીય છે, એ પુરુષના ઘરને સંવારે છે પણ બર્બાદેય કરનારી છે, એ શિષ્ટાચારી છે પણ અશિષ્ટાચાર આચરનારીય છે, એ અરીસો છે પણ બંધ કિતાબેય છે, એ દયાવાન છે તો નિર્દયી પણ છે, અર્થાત્ જેને વેદો કે ઉપનિષદો પણ સમજાવવામાં અસમર્થ છે, જેને દેવો કે દાનવો પણ સમજી નથી શકયા, જેને પુરુષો કદી સમજાવી નથી શક્યા, હાં... એ જ નારી છે .