નારી
જેને સૌ જાણે છે પણ પારખી નથી શક્યા,
જેને પરમેશ્વરથીયે ઉપર મનાય છે,
શું એ નારી છે?
હાં,
કારણ કે.....
એ તારણહાર છે પણ ડુબાડી દેનારીય છે,
એ પીડા સહે છે પણ અસહ્ય પીડા દેનારીય છે,
એ પુરુષના ઘરને સંવારે છે પણ બર્બાદેય કરનારી છે,
એ શિષ્ટાચારી છે પણ અશિષ્ટાચાર આચરનારીય છે,
એ અરીસો છે પણ બંધ કિતાબેય છે,
એ દયાવાન છે તો નિર્દયી પણ છે,
અર્થાત્
જેને વેદો કે ઉપનિષદો પણ સમજાવવામાં અસમર્થ છે,
જેને દેવો કે દાનવો પણ સમજી નથી શકયા,
જેને પુરુષો કદી સમજાવી નથી શક્યા,
હાં...
એ જ નારી છે .
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો